અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" Story :-1 અમદાવાદનો મોતીશાહી મહલ : "શાહીબાગ" જે શાહજહાં એ બંધાવેલ જેમાં તે કદી ન રહ્યો. શાહીબાગના આ મહેલમાં શાહજહાંની ધામધૂમથી પધરામણી થવાની હતી.શાહજહાં હાથી પર બેસીને મહેલમાં પ્રવેશ કરતાં પ્રવેશદ્વારની કમાન માથે અથડાઈ. આમ હાથી પર બીરાજેલ શાહજહાંની સરખામણીમાં પ્રવેશદ્વાર નીચું હતું. એને અપશુકન ગણીને શાહજહાં પ્રવેશદ્વારથી જ પાછા ફયૉ. એ પછી ક્યારેય પણ મહેલમાં પગ મૂક્યો નહીં. Story :-2 શાહીબાગ જ શાહજહાં અને મુમતાઝના પ્રેમનુ મૂળ છે. જ્યારે શાહજહાં અમદાવાદનો સૂબો હતા. ત્યારે તેમના માતા-પિતા જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદમાંની મુલાકાતે આવેલા. તેમની સાથે નૂરજહાંની ભત્રીજી મુમતાઝ પણ હતી. તેઓ નવ મહિના અહીં રોકાયેલા. આ સાથે મુમતાઝ અને શાહજહાંના પ્રેમના અંકુર અહીં અમદાવાદમાં ફૂટ્યા હતા. શાહજહ...